Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પૂર્વ મહામંત્રી રાજેનભાઈ સિંધવનો કાલે જન્મદિવસ

રાજકોટ : શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પૂર્વ મહામંત્રી શ્રી રાજેનભાઈ કે. સિંધવનો કાલે ૧૬મી જૂનના જન્મદિવસ છે. તેઓ રાજ હાઈસ્કુલ, રાધે વિદ્યાલયના ટ્રસ્ટી છે. રાજ ટાઈપ કોમ્પ્યુટર, કોચીંગ કલાસ, આર.કે. ફાયનાન્સ, આર.કે. ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, જય મહાવીર ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક છે. તેઓ જીવનના ૫૬ વર્ષ પૂરા કરી ૫૭માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. બક્ષીપંચ મોરચાના પૂર્વ પ્રમુખ દિનેશભાઈ ટોળીયાની અધ્યક્ષતા હેઠળ વોર્ડ નં. ૨ બક્ષીપંચ મોરચાના પ્રમખ, ધનસુખભાઈ ભંડેરી, નીતીનભાઈ ભારદ્વાજની અધ્યક્ષતા હેઠળ રાજકોટ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી તેમજ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ તરીકે સેવા આપેલ. રાજેનભાઈ સિંધવને જન્મદિને શહેર ભાજપ અધ્યક્ષ કમલેશભાઈ મિરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પૂર્વ સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન વિજયભાઈ રૂપાણી, નવનિયુકત મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય વિ.એ જન્મદિનની પૂર્વ સંધ્યાએ શુભેચ્છા પાઠવી છે.(મો.૯૮૨૪૨ ૧૭૩૨૫)

(3:42 pm IST)