Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

પ્રદેશ કોંગ્રેસ સહમંત્રી ગોપાલભાઈ (પરાગ) અનડકટનો કાલે જન્મદિન

રાજકોટઃ આવતીકાલે તા.૧૬ને રવિવારે રાજકોટ કોંગ્રેસ અગ્રણી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુકત સહમંત્રી ગોપાલભાઈ (પરાગભાઈ) અનડકટનો જન્મદિવસ છે. તેઓ જીવનના ૪૧ વર્ષ પૂર્ણ કરી ૪૨માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. ગોપાલભાઈ સામાજીક ક્ષેત્રે રાજકોટ ખાતે મેડીકલ કેમ્પો, ડાયરાઓ, હસાયરાઓ, વિદ્યાર્થીઓ માટે ફ્રી નોટબુક વિતરણ,  શીયાળામાં ધાબળા વિતરણ સહિતના સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યા છે. જરૂરીયાતમંદ પરિવારોની દિકરીઓ માટે ૧૫ વર્ષથી સમુહલગ્નના આયોજનો કરે છે. હાલ તેઓ રામેશ્વર મંદિરના ટ્રસ્ટી તરીકે સેવા બજાવી રહ્યા છે. આ ઉપરાંત તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં પણ સહમંત્રી તરીકે નિમણુંક પામેલા હોવાથી ગત લોકસભાની ચુંટણીમાં પક્ષ દ્વારા મોરબી વિધાનસભા પ્રભારી તરીકે પણ જવાબદારી સોંપવામાં આવેલી હતી. તેઓના જન્મદિન નિમિતે તેમના મિત્રો, સગાસબંધીઓ તરફથી શુભેચ્છાઓ મો.નં.૯૮૨૪૨ ૯૩૯૪૦ ઉપર પાઠવવામાં આવી રહી છે.

(11:52 am IST)