Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનાં ભૂપેન્દ્રસિંહ જાડેજાનો આજે જન્મદિનઃ શુભેચ્છા વર્ષા

રાજકોટઃ રાજકોટ શહેર આચાર્ય સંઘના પૂર્વ પ્રમુખ, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના છેલ્લા ચાર ટર્મથી હોદેદાર, ગણેશ વિદ્યાલયના ટ્રસ્ટી અને પ્રિન્સિપાલ ભૂપેન્દ્રસિંહ બાપાલાલ જાડેજા વાવડી (સાતુદડ)નો આજે ૫૬મો જન્મદિવસ છે.શ્રી બી.બી. જાડેજા પોતાના મિલનસાર સ્વભાવ, સ્પષ્ટ વકતાપણું, નીતિમતા અને બહોળા મિત્રવર્તુળના કારણે તેઓ જિલ્લા પંચાયતના પૂર્વ કો.ઓપ્ટ સદસ્ય રહી ચૂકયા છે. તેમજ હાલ શિક્ષણ મંડળીના સહમંત્રી, શાસ્ત્રીનગર (અજમેરા) ટાઉનશીપનાં ડાયરેકટર તેમજ વાવડી સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે વિવિધ હોદાઓ પર કાર્યરત છે.તેમના જન્મદિને મો. ૯૪૨૬૪  ૮૩૫૧૮ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(3:21 pm IST)