Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

શ્રી પ્રગટેશ્વર મહાદેવ ચેરીટેબલ ટ્રસ્‍ટના અધ્‍યક્ષ જયસુખભાઇ ભટ્ટનો જન્‍મદિવસ

રાજકોટઃ શ્રી પ્રગટેશ્વર મહાદેવ ચેરીટેબલ ટ્રસ્‍ટના અધ્‍યક્ષશ્રી જયસુખભાઇ જે.ભટ્ટ બ્રહ્મસમાજ કાર્યકરનો આજે જન્‍મદિન છે. તેઓ જીવનના ૮૩ વર્ષ પુરા કરી ૮૪ વર્ષમાં પ્રવેશ કરે છે. તેઓ એગ્રીકલ્‍ચર ડીપાર્ટમેન્‍ટ અને ગુજ.રાજય જમીન વિકાસ નિગમ લિ.માં પ્રતિનિયુકતી પર ફરજો બજાવી, વય નિવૃત થયેલ છે તેઓ એ સેવા દરમ્‍યાન રાજકોટ ડિવિઝનના પૂર્વ ઉપપ્રમુખ, એગ્રી.ડીપા.માં તેમજ પ્રતિનિયુકતી પર નિગમના મહામંડળના રાજકોટ વિભાગમાં પુર્વ ઉપપ્રમુખ તરીકે સેવા આપેલી છે. તેઓ બ્રહ્મસમાજશ્રી નથુ તુલસી ઔદિચ્‍ય સમાજના અગ્રણ્‍ય કાર્યકર, પુર્વ ઉપપ્રમુખ તરીકે સેવા આપી છે, શ્રી પ્રગટેશ્વર મહાદેવ ચેરીટેબલ ટ્રસ્‍ટ રાજકોટના સને ૧૯૭૯માં પાયાના ટ્રસ્‍ટી અને હાલ અધ્‍યક્ષ તરીકે સેવા આપે છે. તેઓ ૬૮ વર્ષની ઉમંરે પણ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા નિરંતર શિક્ષણ કેન્‍દ્ર, સાયન્‍સ કોલેજ રાજકોટમાં વેદાંત અને આધ્‍યાત્‍મિક વારસોના તેમજ બીજો કોર્ષ પુજા વિધિ અને કર્મકાંડના અભ્‍યાસક્રમોમાં બંને વર્ગોમાં સિનિયર પાઠી તરીકે કુલપતિશ્રી જોશીપુરા તેમજ ઉપકુલપતિ કલ્‍પકભાઇ ત્રિવેદીનું સન્‍માન કરી અને તેઓના હસ્‍તે પ્રમાણપત્ર મેળવી સન્‍માનિત થયેલા છે. હાલ શ્રી રાજકોટ તાલુકા પેન્‍શન સમાજના કારોબારી સભ્‍ય તેમજ ખેતીવાડી ખાતાના પેન્‍સનર્સ એસો. રાજકોટના પુર્વે કાર્યકારી મંડળમાં સેવા આપેલ છે. મો.૬૩૫૫૪ ૫૩૦૮૯

(4:19 pm IST)