Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

રાજકોટ બાર એસો.ના પૂર્વ સેક્રેટરી મનિષભાઇ ખખ્ખરનો જન્મદિવસ

રાજકોટ : રાજકોટના અગ્રણી એડવોકેટ તથા રાજકોટ બાર એસો.ના ભૂતપૂર્વ સેક્રેટરીશ્રી મનિષભાઇ હર્ષદભાઇ ખખ્ખરનો આજે તા. ૨૭/૯/૨૦૨૧ના રોજ જન્મદિવસ છે. તેઓ એ સાયન્સ ફેકલ્ટીમાં માઇક્રોબાયોલોજીનો અભ્યાસ પૂર્ણ કરી વકીલાતનો અભ્યાસ કરેલ અને તેઓએ વકીલાતની શરૂઆત રાજકોટમાં ૧ં૯૯૫ની સાલથી કરેલ તેઓ રાજકોટ બાર એસો.માં વિવિધ હોદ્દાઓ ઉપર ઘણી વખત ચૂંટાય આવેલ છે અને વકીલ આલમમાં તેઓની ખૂબ જ લોક ચાહના અને નામના મેળવેલ છે તેમજ તેઓ અલગ અલગ બાર એસો.માં પણ હોદેદાર તરીકે રહીને વકીલો માટે પ્રશંસનીય કામગીરી કરેલ છે. તેઓએ ૨૦૦૪ની સાલમાં નેશનલ લો કોન્ફરન્સ તેમજ ૨૦૧૬ની સાલમાં લીગલ સેમીનાર તથા વકીલો માટે નિઃશુલ્ક ડીરેકટરીના કાર્યક્રમોમાં ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરેલ છે. તેઓ લોહાણા સમાજમાં પણ પ્રતિષ્ઠીત હોદા ઉપર રહી ચૂકેલ છે. તેમજ તેઓ રાજકોટની સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ એડીશ્નલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે તેમજ મોટર એકસીડન્ટ કલેઇમ કેસોમાં પણ પ્રશંનીય કામગીરી કરેલ છે. તેમજ તાજેતરમાં જ તેઓની સરકાર દ્વારા સ્પે. પબ્લીક પ્રોસીકયુટર (સ્પે.પી.પી. તરીકે એ.સી.બી. લાંચ રૂશ્વત) ધારાના કેસમાં નિમણુક થયેલ હોય તેમજ રાજકોટ બાર એસો. સીનીયર જુનીયર વકીલ મિત્રોમાં તેઓ ખૂબ જ લોકચાહના ધરાવે છે. તેઓ રાજકોટ બાર એસો. તરફથી ઘણા વર્ષોથી ક્રેીકેટ રમે છે અને તેમને હુલામણા નામ બુન, કાકા, માસાના નામથી પણ ઓળખાય છે. અને તેઓ બહોળી સંખ્યામાં મિત્ર વર્તુળ છે. ધારાશાસ્ત્રી મનીષ એચ.ખખ્ખરનો મો. ૯૪૨૭૨ ૨૨૨૦૪ ઉપર તેઓને વકીલ મિત્રો, સગા સ્નેહીઓ દ્વારા જન્મદિવસની શુભકામનાઓ પાઠવેલ છે.

(11:44 am IST)