Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

'અકિલા' પરિવારના જગદીશભાઈ ગણાત્રાનો આજે જન્મદિવસ : ૬૮માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : 'અકિલા'ના સીનીયર પત્રકાર અને રઘુવંશી અગ્રણી તેમજ જાણીતા કોલમીસ્ટ એવા શ્રી જગદીશભાઈ ગણાત્રાનો આજે જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૬૭ વર્ષ પૂર્ણ કરી ૬૮માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. 'યે સચ હૈ' ના કોલમીસ્ટ તરીકે જાણીતા એવા જગદીશભાઈના પિતાશ્રી સ્વ.વેલજીભાઈ ગણાત્રા કે જેઓ પીઢ પત્રકાર હતા અને ફૂલછાબમાં સેવા આપતા નિવૃત્તિ બાદ 'અકિલા' સાથે પારિવારિક સંબંધોના નાતે તેઓએ અનેક કોલમ લખી  હતી. જગદીશભાઈ ગણાત્રા આઈપીએસ, આઈએએસ જેવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સારા સંબંધો ધરાવે છે અને અનેક વખત એકસકલુઝીવ સમાચારો પણ આપી રહ્યા છે. જગદીશભાઈના જન્મદિવસે તેઓને પરિવારજનો, મિત્રવર્તુળો તેમજ પોલીસ અધિકારીઓ દ્વારા શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. (મો. ૯૮૨૪૫ ૩૭૮૯૦)

(4:11 pm IST)