Gujarati News

Gujarati News

News of Saturday, 4th September 2021

રાઠોડ મશીન ટુલ્સના ઉદ્યોગપતિ અશોકભાઈ પી. રાઠોડનો કાલે જન્મદિન

રાજકોટ, તા. ૪ :. મૂળ ભાવનગરના વતની અને છેલ્લા ૪૩ વર્ષથી રાઠોડ મશીન ટુલ્સના નામથી ફુડ પ્રોસેસીંગ મશીન અને સોપારી કટીંગ મશીન તથા સર્કલ કટિંગ મશીનના પ્રણેતાભાઈ અશોકભાઈ રાઠોડ કાલે તા. ૫ના રોજ ૬૬ વર્ષ પુરા કરી ૬૭માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. તેઓ લુહાર સમાજના સામાજિક ક્ષેત્રે અનેક પ્રવૃતિઓ કરે છે. અશોકભાઈ રાઠોડ છેલ્લા ૪ વર્ષથી ચોટીલામાં આવેલ ચંડી ચામુંડા અતિથિગૃહના ટ્રસ્ટી તરીકેની સેવા આપે છે. તમ, મન, ધનથી શિક્ષણ ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે આગવુ નામ ધરાવે છે. તેમજ કોરોના વોરિયર તરીકે સન્માન મેળવેલ તથા કોવિડ-૧૯ બ્લેક સ્મિથ યુથ કલબ તરફથી સન્માન મળેલ છે.

(2:50 pm IST)