Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

ખંભાળીયા આચાર્ય સંઘ રાજય મીડિયા કન્વીનર હિતેન્દ્રભાઇ આચાર્યનો જન્મદિવસ

ખંભાળીયા, તા. ૧૬ : પત્રકાર તથા ગુજરાત રાજય આચાર્ય સંઘના મીડીયા રાજય કન્વીનર તથા દેવભૂમિ જિલ્લા બ્રહ્મસમાજના પૂર્વ પ્રમુખ તથા આચાર્ય સંઘના જિલ્લા અધ્યક્ષ હિતેન્દ્રભાઇ ધર્મેન્દ્રભાઇ આચાર્યનો આજે તા. ૧૬ ના જન્મદિન છે.

વિજય ચેરીટેબલ હાઇસ્કૂલના શિક્ષક તરીકે ૧૯૮૭માં કારકીર્દી શરૂ કરીને ૧૯૯રથી આ શાળામાં આચાર્ય તરીકે તથા અગાઉ રાજય આચાર્ય સંઘના પ્રવકતા તરીકે તથા હાલ મીડીયા કન્વીનર ગુજરાત રાજયની લેવા આપી રહેલા, હિતેન્દ્રભાઇ રામનાથ ગૌશાળા, રેલ્વે પેસેન્જર એસોસીએશન, નાગરીક સમિતિ, અખિલ યુવકવર્ગ સમિતિ, પોલીસ જિલ્લા સમિતિ, દેવભૂમિ પત્રકાર મંડળ ખંભાળીયા તાલુકા શાળા સંયોજક તરીકે સેવાઓ આપી રહ્યા છે તથા શિક્ષણક્ષેત્રે, માનવ સેવા, અબોલ જીવ સેવા તથા પછાત જાતિઓના છાત્રોમાં શિક્ષણ ફેલાવવાના કાર્યો કરી રહ્યા છે તથા વૃક્ષારોપણ તથા વૃક્ષ ઉછેરના કાર્યમાં ગણનાપાત્ર કાર્ય માટે અનેક વખત સન્માનિત રાજય સરકાર દ્વારા થયા છે. તેમનો મો. નં. ૯૮ર૪ર ૩પ૮પ૯ ઉપર જન્મદિવસની શુભેચ્છા મળી રહી છે.

(1:22 pm IST)