Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

રૂડાના પૂર્વ સલાહકાર અને અર્બન પ્લાનર કે.બી.પાનખાનીઆનો આજે જન્મદિવસ

રાજકોટઃ શહેર વિકાસ વિભાગના અર્બન પ્લાનર નિવૃત અધિકારીશ્રી કે.બી.પાનખાનીઆનો તા.૧૪મેના રોજ જન્મદિન છે. તેઓ ૬૯ વર્ષ પૂર્ણ કરી ૭૦માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. છેલ્લા ૪૦ વર્ષથી વધુ સમય ગુજરાત સરકારના અર્બન ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ હેઠળ વિવિધ  જગ્યાઓ અને શહેરોમાં મહત્વની ફરજો બજાવી જેમાં ગીફટ સીટી, ધોલેરા સર ઉપરાંત ભુકંપ વિસ્તારોમાં સફળતા પૂર્વકની કામગીરીનો સમાવેશ થાય છે. હાલ સોરઠીયા પ્રજાપતિ સમાજની અમૃત કન્યા છાત્રાલયમાં ૨૮ વર્ષથી પ્રમુખ તરીકે તેમજ ઉપેન્દ્રભાઈ માંડુભાઈ ગોહીલ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી તેમજ પાનખાનીઆ પરિવારના ટ્રસ્ટના પ્રમુખ તરીકે સેવા આપી રહયા છે. તેમના જન્મદિવસ શુભેચ્છકો, મિત્રો દ્વારા મો.૯૮૨૫૨ ૧૯૬૦૯ ઉપર શુભેચ્છાવર્ષા થઈ રહી છે.

(11:31 am IST)