Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

હરીશભાઇ લાખાણીનો સોમવારે જન્મદિવસઃ ૬૧માં વર્ષમાં પ્રવેશઃ પદ્મશ્રી પંકજ ઉધાસનો કાર્યક્રમ

રાજકોટઃ જાણીતા ઉદ્યોગપતિ -રઘુવંશી અગ્રણી દાતા શ્રી હરીશભાઇ લાખાણી (મો.૯૮૨૪૦ ૪૦૫૭૨) તા.૧૩મે ૨૦૧૯ના રોજ ૬૦ વર્ષ પુરા કરી ૬૧માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. આ પ્રસંગને વધાવવા લાખાણી પરિવારે ૧૩મીની રાત્રે આમંત્રિતો માટે ખાસ સંગીતમઢયો કાર્યક્રમ ''શામ-એ-ગઝલ'' યોજાયો છે. સુવિખ્યાત ગઝલ ગાયક પદ્મશ્રી પંકજ ઉધાસ આ પ્રસંગને દિપાવવા રાજકોટના મહેમાન બની રહયા છે. જો કે ઉધાસ પરિવાર માટે રાજકોટ તો તેમનું પોતાનું વતન છે. શ્રી હરિશભાઇ લાખાણી દિલદાર સ્વભાવના સહુના પ્રિય સાથી - મિત્ર છે. તેમના બહોળા મિત્ર સમુદાય-શુભેચ્છકો પરિવારઓમાં આ પ્રસંગ માણવા ભારે ઉત્સાહ પ્રવર્તે છે. અકિલા પરીવાર આ પ્રસંગે શ્રી હરીશભાઇને અંતરની શુભેચ્છા પાઠવે છે.

(11:35 am IST)