Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

રાજકોટના અધિક કલેકટર પરિમલ પંડયાનો જન્મદિન

રાજકોટઃ. રાજકોટના નિવાસી અધિક કલેકટર શ્રી પરિમલ પંડયાનો જન્મ તા. ૧૦ મે ૧૯૬૯ના દિવસે થયેલ. આજે યશસ્વી જીવનનો વન પ્રવેશ કર્યો છે. તેઓ આણંદ જિલ્લાના પેટલાદના વતની છે.

શ્રી પી.બી. પંડયા ભૂતકાળમાં વીરમગામ (અમદાવાદ) અને ભાવનગરમાં પ્રાંત અધિકારી, અમરેલીમાં નિવાસી નાયબ કલેકટર, પાટણમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, ગિર સોમનાથ જિલ્લામાં નિવાસી અધિક કલેકટર, રૂડામાં મુખ્ય કારોબારી અધિકારી વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૨૮૧-૨૪૭૬૩૭૪, મો. ૯૯૭૮૪ ૦૫૨૧૮ - રાજકોટ

(9:41 am IST)