Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

રઘુવંશી અગ્રણી કિરીટભાઇ સોમૈયાનો આજે જન્મદિન : ૬૬ માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ તા. ૯ : સૌરાષ્ટ્રના સેવાક્ષેત્રમાં અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા રઘુવંશી અગ્રણી કિરીટભાઇ કેસરીયાનો આજે જન્મ દિવસ છે. જ્ઞાતિ વેવિશાળ કેન્દ્ર સાજે જોડાઇને વોટસએપ જેવી સોશ્યલ એકટીવીટના માધ્યમને સાકાર કરવાની પહેલ કરનાર કિરીટભાઇ પરમાર સેવા કાર્યો કાજે મુંબઇ, દિલ્હી, કલકતા સહીતના સ્થળોએ પ્રવાસ ખેડી ચુકયા છે. રેસકોર્ષ કલબ, લોહાણા મહાજન કમીટી મેમ્બર તરીકે સેવા આપી ચુકયા છે. ઉપરાંત લોહાણા મહાપરિષદ મેરેજ બ્યુરો કમિટી, અખિલ ગુજરાત લોહાણા સમાજ, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના, રઘુવંશી પરિવાર સહિતની જ્ઞાતિ સંસ્થાઓમાં સતત સક્રિય છે. બિલેશ્વર મહાદેવ મંદિરના પ્રમુખ, યાદગાર યુવક મંડળના પ્રમુખપદે સેવા આપી રહ્યા છે. જરૂરીયાતમંદોને લોહીની જરૂરીયાત પડે ત્યારે ખડેપગે વિનામુલ્યે સેવા આપે છે. વિજયા બેંકમાં અધિકારીપદે રહી નિવૃત્ત થયેલા કિરીટભાઇ હાલ નાગરિક બેંક યાજ્ઞીક રોડ શાખામાં વિકાસ કમીટીમાં મેમ્બર તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. સફળ જીવનના ૬૬ માં વર્ષમાં પ્રવેશી રહેલ કિરીટભાઇ સોમૈયા (મો.૭૯૮૪૫ ૦૭૭૭૦) ને ઠેરઠેરથી શુભેચ્છા વર્ષી રહી છે.

(11:32 am IST)