Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

શહેર ભાજપના બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ ભરતભાઇ બોરીચાનો જન્મદિવસ

રાજકોટ તા. ૮: શહેર ભાજપના અગ્રણી અને બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ ભરતભાઇ બોરીયા જોડિયા તાલુકાના મૂળ વતન ફળસર ખાતે તા. ૮ જન્મેલા ભરતભાઇ આજે યશસ્વી જીવનના ૪૮ વર્ષમાં પ્રવેશ કર્યો છે.

વોર્ડ નં. ૧૩ના ભાજપના કોર્પોરેટર હરિભાઇ ડાંગરના મોટાભાઇના આશીર્વાદથી ડગલે ને પગલે ચાલી રાજકીય કારકીર્દી શરૂ કરી. છેલ્લા બે ટર્મથી બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી સફતાપૂર્વક નિભાવી હતી. તેમજ આહીર સમાજની વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલ છે. આજે ભરતભાઇને મિત્રો, શુભેચ્છકો તથા પરિવારજનો દ્વારા (મો. ૯૯૭૮૦ ૭૦૦૦૧) પર જન્મદિવસની શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(3:28 pm IST)