Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

એડવોકેટ સંજયભાઇ પંડયાનો જન્મ દિવસઃ ૪ર પુરા કરી ૪૩માં પ્રવેશ

રાજકોટમાં ક્રિમીનલ તેમજ સિવીલ અને રેવન્યુ ક્ષેત્રે સારી એવી નામના ધરાવનાર એડવોકેટ શ્રી સંજય હરગોવિંદભાઇ પંડયા નો આજરોજ જન્મ દિવસ છે. સંજયભાઇ ક્રિમીનલ ક્ષેત્રે રાજકોટના જાણીતા એડવોકેટ શ્રી કમલભાઇ સોનપાલની સાથે પ્રેકટીશ શરૂ કરેલ હતી. અને સંજયભાઇ પોતાનો મિલનસાર સ્વભાવને કારણે તેમજ માતા-પિતા અને વકિલાત ક્ષેત્રે તેમના ગુરૂ શ્રી કમલભાઇના આશિર્વાદથી ક્રિમીનલ તેમજ સિવીલ અને રેવન્યુ ક્ષેત્રે સારી એવી નામના ધરાવે છે. સંજયભાઇને માતા-પિતા, તેમજ તેમના પરિવાર અને એડવોકેટશ્રીઓ, મિત્ર સર્કલ દ્વારા ૪૩માં જન્મ દિવસ નિમિતે (૯૮ર૪૮ ૪૪૯૯૭) ઉપર ખુબ ખુબ શુભેચ્છા વરસી રહી છે.

(3:32 pm IST)