Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

જુનાગઢ રાજગોર સમાજના મોભી મુળશંકરભાઇ તેરૈયાનો જન્મદિન

જુનાગઢ તા. રપ :.. રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના મોભી અને નિવૃત નાયબ મામલતદાર મુળશંકરભાઇ તેરૈયાનો ૮૮ મો જન્મ દિવસ છે.  સતત સમાજ સેવા કરતા મુળશંકરભાઇએ સમાજનાં વિકાસ કામો તેમજ સમાજને એક તાંતણે  બાંધવાના કાર્યોમાં હંમેશા અગ્રેસર રહ્યા છે અને નાના મોટા સૌ સાથે મૈત્રી ભર્યો વ્યવહાર કરે છે તેઓ ૮૭ વર્ષ પુરા કરી ૮૮ માં વર્ષમાં પ્રવેશયા છે. ત્યારે વર્તમાન કોરોનાની સ્થિતીને લઇ લોકો તેમના મો. નં. ૯૪ર૯૯ ૯૪૩૪૬ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(11:39 am IST)