Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

સાવરકુંડલાનાં સેવાભાવી-માનવતાવાદી ડોકટર જે.બી.વડેરાનો જન્મદિન

સાવરકુંડલા તા. ર૧ : સેવાભાવી-માનવતાવાદી તબીબ જે.બી.વડેરાનો આજે જન્મ દિવસ છે. 

તેઓ ૭૪ વર્ષ પુરા કરી આજે ૭પમાં પ્રવેશ કરી રહ્યા છે. સરકારી હોસ્પીટલમાં ફરજ બજાવતા હતા. સેવાભાવી-પર દુઃખભંજન સ્વભાવથી સાવરકુંડલા પંથકમાં જાણીતા છે. દર્દી નારાયણની સેવા ધર્મ ભૂલ્યા નથી તેઓ ઇન્ડિયન રેડકોસ સોસાયટી પ્રમુખ પદે સેવા આપી રહ્યા હોય રકતદાન કેમ્પ-થેલેસીયા ટેસ્ટ કેમ્પ જેવી સેવા પ્રવૃતિ કરી રહ્યા છે. સાવરકુંડલા પંથકમાં છેલ્લા ચાર દાયકાથી દર્દીનારાયણની સેવા કરી રહેલા ડોકટર સમાજના તમામ વર્ગમાં લોકપ્રિય હોય તેમના જન્મદિન નિમિતે વિવિધ સંસ્થાઓ ડોકટર મિત્રો-શુભેચ્છકો-લાભાર્થી દર્દીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવી રહેલ છે.

(1:16 pm IST)