Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

કાલે ગ્રામ વિકાસ કમિશનર શ્રીમતી મોના ખંધારનો જન્મદિન

ટુંક સમયમાં જાપાનમાં નવી જવાબદારી સંભાળશે

રાજકોટ : રાજ્યના ગ્રામ વિકાસ વિભાગના કમિશનર અને સચિવ શ્રીમતી મોના ખંધારનો જન્મ તા. ૧૫ જુલાઇ ૧૯૬૯ના રોજ થયેલ. આવતીકાલે યશસ્વી જીવનના ૫૧માં વર્ષ ના દ્વારે ટકોરા મારશે.

શ્રીમતી મોના ખંધાર મૂળ મંબઇના વતની અને ૧૯૯૬ની બેચના આઇ.એ.એસ કેડરના અધિકારી છે. ભુતકાળમાં ભાવનગરમાં જિલ્લા વિકાસ અધિકારી , ગાંધીનગર અને રાજકોટ જિલ્લા કલેકટર , આરોગ્ય વિભાગમાં અધિક સચિવ,  હાઉસીંગ કમિશનર  વગેરે પદ પર રહી ચૂકયા છે. ભારત સરકારે તેમની કાર્યક્ષમતાને ધ્યાને લઇને જાપાનના પાટનગર ટોકયો ખાતે ભારતીય એલ ચી કચેરીમાં વાણિજ્યક અને આર્થિક બાબતોના મીનીસ્ટર તરીકેની મહત્વની જગ્યા પર તેમની નિમણુંકનો હુકમ કર્યો છે. તેઓ ટુંક સમયમાં જાપાન ખાતે નવો કાર્યભાર સંભાળશે.

ફોન નં. ૦૭૯-૨૩૨૩૫૭૯૬  મો. ૯૯૭૮૪ ૦૧૩૮૮ ગાંધીનગર

(3:21 pm IST)