Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

તબીબી ક્ષેત્રની ધબકતી - ઝબકતી કારકિર્દી ધરાવતા ડો.વિરલ બલદાણીયાનો જન્મદિવસ

રાજકોટ, તા. ૭ : રાજકોટ - સૌરાષ્ટ્રમાં નાની વયે તબીબી ક્ષેત્રે અપૂર્વ સિદ્ધિના સોપાન સર કરનાર જાણીતા એમ.ડી. અને ઓમ હોસ્પિટલના સંચાલક ડો.વિરલ બલદાણીયા આજે તેના યશસ્વી જીવનના ૩૮ વર્ષ પૂર્ણ કરી ૩૯માં વર્ષના પ્રગતીશીલ જીવનમાં મંગલ પ્રવેશ કર્યો છે.

દર્દીઓના દર્દ પારખવામાં ખૂબ નિપુણ ડો.વિરલ બલદાણીયાએ તેનું પાયાનું શિક્ષણ જૂનાગઢમાં લીધુ હતું. બાદમાં એમ.બી.બી.એસ. અને એમ.ડી.નો તબીબી અભ્યાસ અમદાવાદની બી.જે. મેડીકલ કોલેજમાં પૂર્ણ કર્યો છે. મુંબઈની ખ્યાતનામ બોમ્બે હોસ્પિટલમાં ક્રિટીકલ કેરની ફેલોશીપ મેળવી છે. તબીબી ક્ષેત્રે ધબકતી - ઝબકતી કારકિર્દી ધરાવતા વિરલ વ્યકિતત્વવાળા ડો. વિરલ બલદાણીયાએ કોરોના મહામારીમાં હજારો દર્દીઓની ઝડપી અને સફળ સારવાર કરીને ભારે લોકચાહના મેળવી છે.  અનેક સામાજીક - શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલ છે.

ડો.વિરલ કનુભાઈ બલદાણીયાએ પ્રથમ જયનાથ હોસ્પિટલમાં ૬ વર્ષ સુધી ફરજ બજાવી હવે ગાયત્રીનગર મેઈન રોડ પર પોતાની ઓમ હોસ્પિટલ ખાતે ફરજ બજાવે છે. હસમુખો ચહેરો અને તમામને ઉપયોગી થવાની ઉમદા ભાવના દ્વારા વિશાળ મિત્ર વર્તુળ ધરાવે છે. આજે ડો.વિરલ બલદાણીયાના જન્મદિન મો.૯૯૨૫૦ ૪૨૪૩૯ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(3:03 pm IST)