Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

ડે.મેયરના પી.એ.હસમુખ વ્યાસનો આજે જન્મદિવસ

રાજકોટ : મહાનગરપાલિકાની સેક્રેટરી વિભાગના હેડકલાર્ક અને ડેપ્યુટી મેયરના પી.એ. તરીકે ફરજ નિભાવી રહેલ હસમુખભાઈ જે. વ્યાસનો આજે તા.૦૫ ઓકટોબરના રોજ જન્મદિવસ છે. તેઓ આજે તેમના જન્મદિવસે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા મ્યુનિસિપલ કમિશનર સહિત અધિકારીઓ દ્વારા શુભકામના પાઠવવામાં આવેલ છે.

હસમુખભાઈ જે. વ્યાસે સૌ પ્રથમ રૈયા નગરપાલિકામાં નોકરીની કારકિર્દી શરૂ કરેલ ત્યારબાદ મહાનગરપાલિકામાં નિમણુંક થયેલ. સેક્રેટરી વિભાગમાં છેલ્લા ૨૧ વર્ષથી ફરજ બજાવી રહ્યા છે. આ દરમ્યાન જુદા જુદા સ્ટેન્ડિંગ ચેરમેન તથા જુદા જુદા ડે.મેયરના પી.એ. તરીકે નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવી છે તથા હાલ ડે.મેયરના પી.એ તરીકે ફરજ બજાવે છે. તેમના સ્વ. પિતાશ્રી જે. બી. વ્યાસ ડેપ્યુટી કલેકટર રહી ચુકયા છે.  હસમુખભાઈ જુદી જુદી સામાજીક સંસ્થાઓમાં જોડાયેલ છે. સરળ વ્યકિતત્વ તથા સરળ સ્વભાવના કારણે રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓમાં તેમજ મિત્ર વર્તુળમાં બહોળી ચાહના ધરાવે છે. આજે તેઓના જન્મદિવસે રાજકીય આગેવાનો, મહાનગરપાલિકાના કર્મચારીઓનો, શુભેચ્છકો, મિત્રો તથા પરિવારજનો દ્વારા શુભેચ્છા વરસી રહી છે. (મો. ૯૬૨૪૦ ૧૯૫૭૮)

(3:17 pm IST)