Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર વરૂણકુમાર બરનવાલનો જન્મદિન

રાજકોટ : નગરપાલિકાઓના રાજકોટ વિભાગીય કમિશનર શ્રી બરનવાલ વરૂણકુમાર જગદીશ (આઇ.એ.એસ. ૨૦૧૪)નો જન્મ ૧૯૯૦ના વર્ષની ૫ ઓકટોબરે થયેલ. આજે ૩૨માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ મહારાષ્ટ્રના વતની છે. હાલ તેમના કાર્યક્ષેત્રમાં રાજકોટ, કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર અને દ્વારકા જિલ્લાની ૩૦ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે.

શ્રી વરૂણકુમાર બરનવાલ ભૂતકાળમાં ભરૂચના ઝગડિયામાં મદદનિશ કલેકટર અને ભાવનગરમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં. ૦૨૮૧ - ૨૪૪૪૫૦૫, મો. ૯૯૭૮૪ ૦૮૭૧૦ રાજકોટ.

(11:17 am IST)