Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

હિર ઓફ આહીર : મનસુખભાઇ બાળાનો જન્‍મ દિવસ : ૩૮ માં પ્રવેશ

રાજકોટ તા. ૫ : મહાનગરપાલીકામાં સેનેટરી સબ ઇન્‍સ્‍પેકટર તરીકે ફરજ બજાવતા મનસુખભાઇ વાલેરાભાઇ બાળાનો આજે જન્‍મ દિવસ છે. યશસ્‍વી જીવનના ૩૮ માં વર્ષમાં પ્રવેશી રહેલ શ્રી બાળા રાજકોટ જિલ્લા આહીર કર્મચારી મંડળના પ્રમુખ તરીકે તેમજ આહીર સ્‍ટુડન્‍ટ વેલ્‍ફેર ગ્રુપમાં સંગઠન મંત્રી અને વીર આહીર દેવાયતબાપા બોદર કમીટીમાં સભ્‍ય છે. કોઇપણ સમાજના લોકોની સેવા માટે હંમેશા તત્‍પર રહેતા હોય ૧૦૮ ની છાપ ધરાવે છે. ખાસ કરીને હોસ્‍પિટલના દર્દીઓને મળતા રહે છે અને તેમના પ્રશ્‍નો ઉકેલાવ બનતી મદદ કરવાનો સ્‍વભાવ ધરાવતા મનસુખભાઇ ‘કર ભલા તો હો ભલા' નિયમમાં માને છે. આજે જન્‍મ દિવસની ઉજવણી પણ તેઓ ચકલીના માળા અને પાણીના કુંડા વિતરણ કરીને સેવામય કરશે. તેમના મો.૯૮૨૪૬ ૫૬૫૨૨ ઉપર ઠેરઠેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(11:38 am IST)