Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

ઉજાસ સાથે વિકાસના યાત્રી ઉદ્યોગપતિ પ્રતાપભાઇ પટેલનો જન્‍મ દિન

રાજકોટ તા. પઃ મુળ અમરેલીના વતની પાંચ દાયકાથી વધુ સમયથી રાજકોટને કર્મભૂમિ બનાવનાર જાણીતા ઉદ્યોગપતિ ટર્બો બેરીંગ પ્રાઇવેટ લીમીટેડના સંચાલક પ્રતાપભાઇ પટેલનો આજે જન્‍મદિન છે. તેમનો જન્‍મ તા. પ મે ૧૯૪૦ ના દિવસે થયેલ આજે ૮૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
મારે સમાજ માટે કંઇક કરી છૂટવું જોઇએ તેવી ઉમદા ભાવના ધરાવતા અને વિવિધ સંસ્‍થાઓમાં લાખો રૂપિયાના દાનની સરવાણી વહાવનાર ગીત-સંગીત, પ્રવાસ અને સાહિત્‍યનો શોખ ધરાવતા પ્રતાપભાઇ ૮ર વર્ષની વયે પણ યુવાનોને શરમાવે તેવી સ્‍ફુર્તિ ધરાવે છે. દિકરાનું ઘર વૃધ્‍ધાશ્રમના સ્‍થાપક ટ્રસ્‍ટી પ્રતાપભાઇ પટેલના જન્‍મ દિવસ નિમિતે સમાજના વિવિધ વર્ગમાંથી શતાયુ ભવની વ્‍યાપક શુભકામના મળી રહી છે. મો. ૯૮રપ૦ ૭૮૦૮૮ રાજકોટ.

 

(11:35 am IST)