Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

નિવૃત મુખ્‍ય સચિવ અને સોમનાથના ટ્રસ્‍ટી પ્રવીણભાઇ લહેરીનો જન્‍મદિન

(ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ : વિશ્વ પ્રસિધ્‍ધ્‍ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી અને રાજયના નિવૃત પુર્વ મુખ્‍ય સચિવ પ્રવિણભાઇ લહેરીનો આજે જનમ દિવસ છે. આજે ૭૯ માં    વર્ષમાં પ્રવેશ કર્યો છે.

તા. ર૮ માર્ચ ૧૯૪પના રોજ જન્‍મેલા તેઓએ રાજુલા-મુંબઇ શિક્ષણ મેળવી ગુજરાત રાજય સનદી સેવામાં જોડાયા અને ઉજ્જવળ કારર્કીદી સાથે રાજયના મુખ્‍ય સચિવ પદ સુધી પહોંચી વળવા વયમર્યાદા સેવા નિવૃત થયા. હાલ સોમનાથ મંદિર ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી છે.

ઉમદા કર્તવ્‍ય અને વહીવટી નેતૃત્‍વના સંગમસમા તથા સોમનાથ મંદિરમાં થયેલા વિકાસમાં તેમનું યોગદાન છે. તેવા પી.કે. લહેરીને જમ્‍દિને ઠેર ઠેરથી અભિનંદન શુભેચ્‍છા મો. ૯૮ર૪૦ ૮૩૯૬૯ ઉપર મળી રહેલ છે.

પ્રવીણભાઇ લહેરીના જન્‍મ દિવસે ભગવાન સોમનાથ મહાદેવ મંદિરે સોમનાથ ટ્રસ્‍ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા વિશેષ મહાપૂજા-દીર્ઘ આયુષ્‍ય પ્રાર્થના માર્કન્‍ડ પૂજા તેમજ સંધ્‍યા શણગાર તથા સંધ્‍યા દિપમાળા સહીતના કાર્યક્રમ કરી તેઓને જન્‍મદિન હાર્દીક શુભેચ્‍છાઓ પાઠવી દીર્ઘ આયુષ્‍ય અને સુખાકારી સ્‍વાસ્‍થ્‍ય માટે પ્રાર્થના કરવામાં આવી છે.

(11:21 am IST)