Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

પરમાર ક્ષત્રિય સમાજ મુળી ચોવીસી ગુજરાતના મહામંત્રી રાજેન્‍દ્રસિંહ પરમારનો જન્‍મ દિવસ

રાજકોટ તા. ૨૭ : મુળ ગામ મુળી નાયાણીના વતની અને ખેતીવાડી ખાતાના નિવૃત્ત કર્મચારી એવા પરમાર ક્ષત્રિય સમાજ મુળી ચોવીસી ગુજરાતના મહામંત્રી રાજેન્‍દ્રસિંહ જે. પરમારનો આજે તા. ૨૭ ના જન્‍મ દિવસ છે. તેઓ પરમાર સમાજ રાજકોટના મંત્રી તરીકે તેમજ પરમારપવાર મહાસંઘ ભારતના રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ તરીકે તેમજ ક્ષત્રિય મહાસંઘ ભારતના રાષ્‍ટ્રીય સંરક્ષક તરીકે તેમજ રાજ શક્‍તિ ક્ષત્રિય યુવક મંડળના પ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા છે. રાજાભોજન જન કલ્‍યાણ સેવા સમિતિ મધ્‍યપ્રદેશના ગુજરાત પ્રદેશ સંગઠનમંત્રી તરીકે સેવા આપવા સાથે સીનીયર સીટીઝન બોલબાલા ટ્રસ્‍ટ અને સરગમ કલબ ઇવનીંગ પોસ્‍ટના સભ્‍ય પણ છે. ખેતીવાડી ખાતા પેન્‍શન સમાજના સંગઠન મંત્રી છે. રાજાભોજ એવોર્ડ તેમજ રાજપુત રત્‍ન એવોર્ડથી સન્‍માનીત થઇ ચુકયા છે. તેમના જન્‍મ દિવસ નિમિતે આજે તેમને ઠેરઠેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે. તેમના મો.૯૯૨૫૨ ૪૮૨૫૯ છે.

(11:58 am IST)