Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

જુનાગઢના કેળવણીકાર કનુભાઇ સોરઠીયાનો જન્મ દિવસ

જુનાગઢ : સૌરાષ્ટ્ર આહિર સમાજના અગ્રણી કેળવણીકાર કનુભાઇ સોરઠીયાનો આજે ૭૬ મો જન્મ દિવસ છે.

શિક્ષણ ક્ષેત્રે અનેક મહત્વના હોદાઓ ઉપર જવાબદારી સંભાળી રહેલ તેઓ રાજય શાળા સંચાલક મંડળના મહામંત્રી તરીકે કામગીરી સંભાળી રહ્યા છે. અને જુનાગઢ અને પોરબંદર જીલ્લા પંચાયતના સભ્ય તરીકે રહી ચૂકયા છે.  હાલમાં તેઓ શિક્ષણ ક્ષેત્રની સાથે જુનાગઢથી પ્રસિધ્ધ થતા સમીક્ષા દૈનિકના તંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. આજે તેમના જન્મ દિન નિમિતે તેમના શુભેચ્છકો મો. નં. ૯૮રપર ૩૦૧૩ર ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(12:54 pm IST)