Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

શુભત્વથી શોભતા ઉદ્યોગપતિ કિરીટભાઇ આદ્રોજાનો જન્મદિન

રાજકોટ : રાજકોટ શહેરના જાણીતા ઉદ્યોગપતિ, એન્જલ ગ્રૂપના ચેરમેન, મોરબી સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલ અને શહેરની પ્રતિષ્ઠિત સેવા સંસ્થાઓમાં તન-મન-ધનથી સેવા આપનાર કિરીટભાઈ આદ્રોજા નો આજે જન્મદિવસ છે.

દેશ વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત દીકરાનું ઘર વૃદ્ઘાશ્રમ ના ટ્રસ્ટી, જાણીતી સેવા સંસ્થા સરગમ કલબ, યુવી કલબ, સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ટ્રસ્ટના સલાહકાર સમિતિના સભ્ય, ઉમિયા ટ્રસ્ટ સહિતની સંસ્થાઓમાં તેમનું સવિશેષ યોગદાન રહ્યું છે. દીકરાનું ઘર વૃદ્ઘાશ્રમ દ્વારા પ્રતિ વર્ષ યોજાતા વહાલુડીના વિવાહના મુખ્ય સુત્રધાર કિરીટભાઈ આદ્રોજા વિશાળ મિત્ર વર્તુળ અને બિઝનેશ સામ્રાજય ધરાવે છે. તેમના જન્મદિવસે તેમના ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

મો. ૯૮૨૪૨૮૪૪૦૪. રાજકોટ

(3:42 pm IST)