Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

ભુતપુર્વ કલેકટર-કમિશનર એસ. જગદીશનનો જન્‍મદિન

રાજકોટ તા. ૧પ :.. નિવૃત સનદી અધિકારી શ્રી એસ. જગદીશનનો જન્‍મ તા. ૧પ જાન્‍યુઆરી ૧૯પ૩ ના દિવસે થયેલ. આજે ૭૦ વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભુતકાળમાં રાજકોટ અને સુરતના મ્‍યુનિસીપલ કમિશનર, ઇંગ્‍લેન્‍ડ ખાતેના ભારતના મુખ્‍ય વહીવટી અધિકારી, ઉર્જા અને પેટ્રો કેમીકલ્‍સ વિભાગના અગ્રસચિવ, નર્મદા નિગમમાં એમ. ડી. વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. ૧૯૯ર થી ૯૪ તેઓ રાજકોટના કલેકટર પદે હતાં.
૧૯૮૭ ના અરસામાં રાજકોટના કમિશનર પદેથી તેમની બદલી થઇ તે વખતે બદલીના વિરોધમાં રાજકોટમાં તોફાન ફાટી નિકળ્‍યા હતાં. ર૦૧૩ માં અગ્રસચિવ પદેથી નિવૃત થયા બાદ હાલ અમદાવાદમાં નિવૃત જીવન ગાળી રહ્યા છે. મો. ૯૯૭૮૪ ૦પ૦૦૭ અમદાવાદ.

 

(11:42 am IST)