Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

વિસાવદરના ડે.કલેકટર તુષારભાઇ જોષીનો આજે જન્મદિન

જુનાગઢ તા. ૧૩ :.. વિસાવદરના ડે.કલેકટર તુષારભાઇ જોષીનો આજે જન્મ દિન છે તેઓ ૩૯ માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે. તેમના પિતા સહજાનંદ સ્વામીના પરમ સેવક છે તુષારભાઇનો જન્મ ગઢડા સ્વામીમાં થયેલ છે. ગઢડા સ્વામીમાં પ્રાથમિક શિક્ષણ લઇને ત્યારબાદ જીપીએસસી કલીયર કરીને  ડે. કલેકટર સુધી પહોંચેલ છે.

તેઓ બોટાદ વેરાવળ ધોરાજી પ્રાંતમાં ફરજ ઉપર રહેલ ત્યારે ખનીજ માફીયા સામે તેમના પગલાની સરાહના થયેલ હતી. તેમના જન્મદિને મિત્રો શુભેચ્છકો દ્વારા તેમના મો. ૯૯૭૮૪ ૦પ૧૮૩ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(12:47 pm IST)