Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

જામનગરનાં જાદુગર રોબર્ટનો આજે જન્મદિવસ

જામનગર તા. ૧૦: કાઠીયાવાડી સાથે બાળપણથી જ સંકળાયેલા જાદુગર રોબર્ટનો આજે જન્મદિવસ છે. તેઓ તા. ૧૦-ર-૬પના જન્મેલા છે આજે તેઓને પ૬માં વર્ષમાં પ્રવેશ થાય છે. રોબર્ટ આચાર્ય છેલ્લા ઘણા વર્ષોથી સામાજીક કાર્યમાં સંકળાયેલા છે તેઓ પોતાની મેજીક કલા તેઓ ધંધા અર્થે નહીં પણ તેઓ પોતાની કલા દ્વારા જે કાંઇ રકમ મળે તે રકમ તેઓ સેવાકિય પ્રવૃતિમાં જ વાપરે છે. આ થકી તેઓ જામનગરનું નામ તેઓની કલા થકી ગુંજતું રાખ્યું છે અને રોબર્ટ આચાર્યનું જયાં પણ પ્રોગ્રામ હોય તેમાં અચુક અંધશ્રધ્ધા વિરોધી તેઓ દર્શકોને જરૂર બતાવે છે અને હાલ તેઓ ડેવલોપર્સના બિઝનેસ સાથે સંકળાયેલા છે. અપંગ આશ્રમમાં જન્મદિન નિમિતે વિના મૂલ્યે જાદુનો શો યોજીને આશ્રમની બાળાઓને ભોજન પણ કરાવ્યું હતું. તેઓ આગામી તા. ર૯-ર-ર૦ર૦ના રોજ ટાઉન હોલમાં જાદુનો પ્રોગ્રામ કરી હોસ્પિટલમાં સ્ટેચરો આપવાના છે. તેઓ આગામી દિવસોમાં વધુ સફળતા હાંસલ કરે તેવી શુભકામના તેઓને મો. ૯૮ર૪૦ ૯૩૧૬પ ઉપર મળી રહી છે.

(11:41 am IST)