Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

જયસુખભાઈ ભટ્ટનો આજે જન્મદિવસ : ૮૧માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : શ્રી જયસુખભાઈ ભટ્ટનો આજે તા.૮ ફેબ્રુઆરીએ જન્મદિન છે. તેઓ જીવનના ૮૦ વર્ષ પૂર્ણ કરી ૮૧માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેઓ એગ્રી કલ્ચર ડિપાર્ટમેન્ટ તેમજ ગુજરાત જમીન વિકાસ નિગમમાં ફરજો બજાવી વય નિવૃત થયેલ છે. તેઓ ફરજ દરમિયાન રાજકોટ ડિવીઝનના પૂર્વ ઉપપ્રમુખ તરીકે એગ્રી. ડિપા.માં તેમજ પ્રતિનિયુકિત પર નિગમમાં મહામંડળના રાજકોટ વિભાગમાં પૂર્વ ઉપપ્રમુખ તરીકે સેવા આપેલ. તેઓ બ્રહ્મસમાજ શ્રી નથુ તુલસી ઔદિચ્ય જ્ઞાતિ સમાજના કાર્યકર, પૂર્વ ઉપપ્રમુખ અને શ્રી પ્રગટેશ્વર મહાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટના ટ્રસ્ટી તરીકે તેમજ ચુડાસમા પ્લોટની સાંસ્કૃતિક પ્રવૃતિ જેવી કે ગરબી મંડળ, સીનીયર સીટીઝન માર્ગદર્શક કારગીલ વખતે વિકટ એવી અમરનાથ યાત્રા અંગેની યાત્રિકોને માહિતી વગેરે માર્ગદર્શન માટે યાત્રાની પથદર્શિકા વિનામૂલ્યે પ્રસિદ્ધ કરી દરેક યાત્રિકોને આપેલ. તેઓ ૬૮ વર્ષની ઉંમરે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા નિરંતર શિક્ષણ કેન્દ્ર, સાયન્સ કોલેજ, રાજકોટના વેદાંત અને આધ્યાત્મિક વારસોના તેમજ બીજો કોર્ષ પૂજાવિધિ અને કર્મકાંડના અભ્યાસક્રમોમાં વર્ગોમાં બંને વર્ગમાં સીનીયર પાઠી તરીકે કુલપતિ શ્રી જોષીપુરા તેમજ ઉપકુલપતિ કલ્પકભાઈ ત્રિવેદીનું સન્માન કરેલ હતું. પ્રમાણપત્ર મેળવી સન્માનિત થયેલ. હાલ તેઓશ્રી શ્રી પ્રગટેશ્વર મહાદેવ ચેરીટી ટ્રસ્ટના અધ્યક્ષ તેમજ રાજકોટ તાલુકા પેન્શનર સમાજના કારોબારી સભ્ય તરીકે ખેતીવાડી ખાતાના મો.૯૭૭૩૨ ૨૮૬૫૫ પેન્શનર્સ એસોસીએશન રાજકોટના કાર્યકારી મંડળના અગ્રણી સભ્ય તરીકે સેવા આપેલ.

(3:24 pm IST)