Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

જોડિયા, બોટાદ, બરવાળામાં યાદગાર ફરજ

મહેસુલ પંચના રજીસ્ટ્રાર જયશ્રીબેન ઝરુનો જન્મદિન

રાજકોટઃ ગુજરાત મહેસુલ પચમાં રજીસ્ટ્રાર તરીકે કાર્યરત નાયબ કલેકટર શ્રીમતી જયશ્રીબેન એન. ઝરુનો જન્મ તા. ૭ ફેબ્રુઆરી ૧૯૭૫ના દિવસે થયેલ. આજે ૪૬માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેણી મૂળ કચ્છના વતની છે.

શ્રીમતી જે.એન. ઝરુએ વડોદરામાં તાલીમ લીધા બાદ જોડિયામાં (જામનગર) અને નડિયાદમાં મામલતદાર તરીકે ફરજ બજાવેલ. ગાંધીનગર કલેકટર કચેરીમાં ચીટનીસ, બોટાદમાં નાયબ કલેકટર અને બરવાળામાં પ્રાંત અધિકારી તરીકે પણ રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯- ૨૫૫૦૬૭૮૫, મો.- ૮૨૩૮૯ ૨૦૪૧૯ અમદાવાદ

(11:23 am IST)