Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

આણંદ, અમરેલી, ભાવનગર, નર્મદાના પૂર્વ કલેકટર ડી.જી. ઝાલાવાડિયાનો જન્મદિન

રાજકોટઃ વિતેલા વર્ષોમાં નર્મદા, આણંદ, અમરેલી અને ભાવનગર તે ૪ જિલ્લાઓમાં કલેકટર તરીકે કામગીરી કરવાનો જેનો મોકો મળ્યો હતો તેવા નિવૃત સનદી અધિકારી (આઈ.એ.એસ. ૧૯૯૮) શ્રી ડી.જી. ઝાલાવાડિયા આજે જન્મદિનની શુભેચ્છા વર્ષામાં ભીંજાઈ રહ્યા છે. તેમનો જન્મ ૧૯૫૩ના વર્ષની ૨૫ માર્ચે થયેલ. આજે ગૌરવવંતા જીવનના ૬૭માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે.

શ્રી ઝાલાવાડિયા પશ્ચિમ ગુજરાત વીજ કંપની, રાજકોટના મેનેજીંગ ડીરેકટર પદે પણ રહી ચૂકયા છે. નાગરિક પુરવઠા વિભાગના નિયામક પદે ફરજ બજાવતા હતા ત્યારે વયમર્યાદાના કારણે નિવૃત થયા બાદ હાલ નર્મદા નિગમમાં સેવા આપી રહ્યા છે. હકારાત્મક અભિગમ અને માયાળુ સ્વભાવના કારણે શુભેચ્છકોનું વિશાળ વર્તુળ ધરાવે છે.

મો. ૯૯૨૫૧ ૬૮૫૪૮ અમદાવાદ

(10:03 am IST)