Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

સેવાના પુષ્પોથી મધમધતા મનીષ ભટ્ટનો જન્મદિન

રાજકોટ : જાહેર જીવનનાં અગ્રણી, રાજકોટ શહેર ભાજપનાં ઉપાધ્યક્ષ મનીષ ભટ્ટનો આજે તા. રર ના રોજ ૪૮મો જન્મદિન છે. બાલ્યાવસ્થાથી જ રાષ્ટ્રવાદી વિચારધારાને આધારીત રાજનીતિ, સેવા ક્ષેત્રને વરેલા મનીષ ભટ્ટ રાજકોટ શહેર યુવા ભાજપનાં મંત્રી, ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ યુવા ભાજપના મંત્રી, રાજકોટ શહેર ભાજપનાં મંત્રી તરીકે યશસ્વી જવાબદારી વહન કરી ચૂકયા છે.

અસ્મિતા ફાઉન્ડેશન સંસ્થાના ફાઉન્ડર પ્રમુખ મનીષ ભટ્ટ યુ. એસ. એ. માં યોજાતા 'ચાલો ગુજરાત' આયના સંસ્થાના એકઝીકયુટીવ કમીટીના સભ્ય તરીકે કાર્યરત છે તેમજ અનેક સંસ્થાઓમાં સક્રિય છે. અનેકવિધ નેશનલ ઇવેન્ટસ-કાર્યક્રમોનું સફળ સંચાલન કરી ચુકેલા શ્રી મનીષ ભટ્ટ નવી પેઢીના પ્રભાવી વકતા અને વ્યવસાયે એડવોકેટ અને કોર્પોરેટર કન્સલટન્ટ, રીયલ એસ્ટેટ કન્સલટન્ટ છે. શબ્દોને લાગણીમાં ઝબોળી એક અનોખું ભાવજગત, સદભાવ જગત ખડું કરવાની તેમજ મિત્રો બનાવવાની અને મિત્રતા સાચવવાની આવડત એ મનીષ ભટ્ટના આગવા વ્યકિતત્વનું જમા પાસું છે. રાજનીતિ નહી પણ રાષ્ટ્ર નિતીમાં માનતાં સાહિત્ય પ્રેમી અને કલામર્મજ્ઞ મનીષ ભટ્ટના જન્મ દિવસ નિમીતે તેમના બહોળા મિત્ર વર્તુળ તેમજ શુભેચ્છકો દ્વારા આશીર્વાદની વર્ષા થઇ રહી છે. (મો. ૯૮રપ૪ ૭૭પ૦૧), રાજકોટ

(3:44 pm IST)