Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

સામાજિક કાર્યકર રૂપસિંહભાઇ પરમારનો જન્મદિનઃ ૭૪માં પ્રવેશ

રાજકોટ તા. ર૦ : સામાજીક કાર્યકર રૂપસિંહ પરમારનો આજે જન્મ દિવસ છે. ૭૪ વર્ષમાં પ્રવેશ કરેલ છે. આ પ્રસંગે મૃતદેહને ઘરેથી સ્મશાન લઇ જવા એલ્યુમીનીયમની નિસરણી(નનામી) નિઃશુલ્ક નવી આપવાનો દ્રઢ સંકલ્પ કરેલ છે. રૂપસિંહ પરમાર બિનવારસ વૃદ્ધના નધણિયાતા મા-બાપને નવરાવી, ધોવરાવી તેની ટીમ દ્વારા યોગ્ય જગ્યા પર શીફટ કરે છે. જેની ટીમમાં રજવી ચેરીટેબલ ટ્રસ્ટના આસીફભાઇ શેખ તથા જનસેવા કેન્દ્રવાળા ભાવેશભાઇ તથા પ્રવિણભાઇ સાથે રહેછે.રૂપસિંહ પરમાર જરૂરિયાતવાળાને નિહારનો સામાન પણ ફ્રી (નિઃશુલ્ક) ની વ્યવસ્થા કરી આપે છે. તેમના મો. ૯૯રપ૪ ૬૬૦૧૮ છે.

(11:41 am IST)