Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડનો જન્મદિવસઃ ૬૦માં વર્ષમાં પ્રવેશ કરશે

 રાજકોટઃ શહેર ભાજપ મહામંત્રી અને પુરૂષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નગર પ્રાથમીક શિક્ષણ સમિતિના સદસ્ય અને કારડીયા રાજપુત સમાજના કિશોરભાઇ રાઠોડનો આવતીકાલે તા.૧૮ના જન્મદિવસ છે. જન્મતારીખ અને વર્ષમાં ૧૮ અંકનો  સમન્વય થયો છે. તેઓ ભાજપ ભુતકાળમાં વોર્ડના મહામંત્રી શહેર કારોબારી સદસ્ય શહેરમંત્રી, શહેર ઉપપ્રમુખ અને હાલમાં શહેર ભાજપ મહામંત્રી તરીકે જવાબદારી સંભાળી રહયા છે. તેઓની મુખ્ય સેવાપ્રવૃતિ રકતદાન શિબિરની છે. ૧૯૮૫થી રકતદાન કરવાનો સંકલ્પ કરી આજે તેઓ ૮૮ વખત રકતદાન કરી અન્યને પણ રકતદાન કરવાની પ્રેરણા પુરી પાડી રહયા છે. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ગુજરાત સરકાર દ્વારા કિશોરભાઇ રાઠોડની સંસ્થાને સને ૨૦૧૧માં સતત રકતદાન પ્રવૃતિઓ માટે એવોડ તથા સન્માન પત્રથી સન્માનીત કરવામાં આવી હતી . નગર પ્રાથમીક શિક્ષણ સમિતી સંચાલીત પૂ. રણછોડદાસજી મહારાજ પ્રાથમીક શાળાને સંસ્થા દ્વારા દતક લઇ. આ શાળાના બાળકોને શેૈક્ષણીક ક્ષેત્રે પ્રોત્સાહન આપવામાં આવી રહયું છે. કિશોરભાઇને જન્મદિનની પુર્વ સંધ્યાએ મો. ૯૮૨૪૨ ૯૧૬૯૬ પર શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે.

(3:01 pm IST)