Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

દીપોત્સવીના દીપ જેવી કારકીર્દિવાળા : કમલેશ જોષીપૂરાનો જન્મદિન

રાજકોટ : જાહેર જીવનમાં દીપોત્સવીના દીપ જેવી જળહળતી કારકીર્દિ ધરાવતા શ્રેષ્ઠી શ્રી કમલેશ પી. જોષીપૂરા આજે ૭ નવેમ્બરે ગૌરવંતા જીવનના ૬૦મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. જોગાનુંજોગ આજે દિવાળીનો યાદગાર દિવસ છે.

શ્રી કમલેશ જોષપૂરા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ, ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર્સ એજયુકેશનના પ્રથમ કુલપતિ, શહેર ભાજપના પ્રમુખ વગેરે સ્થાનો શોભાવી ચૂકયા છે. જાહેર જીવન અને શિક્ષણ ક્ષેત્રના બહોળા અનુભવી છે. ભાવ અને પ્રભાવથી ભરપુર નેતૃત્વનું ઉતમ ઉદાહરણ તેમણે પૂરૂ પાડયું છે. શુભેચ્છકો આજે તેમને જન્મદિન અને દિવાળીની બેવડી શુભકામના પાઠવી રહ્યા છે.

દીપો કી રોશની સે ઝગમગાયે ઘર આંગન,

ખુશીઓસે મહક રહે આપકા જીવન,

ઇશ્વર કી કૃપા સદા આપ પર છાયે,

આજ કે દિન કી યહી હાર્દિક શુભકામનાએ

મો. ૯૮ર૪ર ૧ર૦૩૩, ૯૪ર૭ર ર૧૮૭૭, રાજકોટ.             

(12:18 pm IST)