Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

છેલ્લા ર૮ વર્ષથી પ્રસિદ્ઘ થતા ખાંટ રાજપૂત જ્ઞાતિના માસિક ‘ધર્મવાણી’ના તંત્રી રામજીભાઇ એસ. મોરબીયા નો આજે જન્મદિવસઃ ૭૫ પૂર્ણ, ૭૬ મું બેઠું

રાજકોટ તા. ૮: નાની વયે અખબારી જગતમાં પ્રવેશ કરનાર અને આજે પણ સતત યોગદાન આપતા  રામજીભાઇ  સવજીભાઇ મોરબીયાનો આજે જન્મદિવસ છે. રામજીભાઇનો      જન્મ તા. ૮-૧-૧૯૪૬ ના રોજ થયેલ હતો. તેઓએ ૧૯પ૮ માં ૧ર વર્ષની ઉંંમરે રાજકોટના ‘‘જય સૌરાષ્ટ્ર પ્રિન્ટીંગ પ્રેસ’’ (હાલમાં અકિલા) માં સ્વ. બાબુભાઇ ગણાત્રાની દેખરેખ નીચે પ્રેસ લાઇનની શરૂઆત કરી ઘણા વર્ષો સુધી ફરજ બજાવી. આઠેક વર્ષ સુધી ‘જલારામ જયોત’માં સેવા આપી. ઇરીગેશન અને આર.ટી.ઓ.માં સરકારી નોકરી પણ કરી. ત્યારબાદ રાજકોટમાં ‘‘મોરબીયા પ્રિન્ટર્સ’’ નામથી પ્રેસની શરૂઆત કરી હતી. હાલમાં ખાંટ રાજપૂત સમાજનું માસિક મેગેઝીન ‘‘ધર્મવાણી’’ ચલાવે છે. આજે   તેઓના   જન્મદિને  વિશાળ મિત્ર  વર્તુળ-શુભેચ્છકો તેમનાં (મો. ૯૪ર૬૯ ૬૭૯૬૭) પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.


 

(11:09 am IST)