Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

નિવૃત સનદી અધિકારી અનુરાધા મલ્લનો જન્‍મદિન

રાજકોટઃ સરદાર પટેલ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ પબ્‍લીક એડમીનીસ્‍ટ્રેશન (સ્‍પીપા) ના મહાનિયામક પદેથી નિવૃત થયેલા આઇએએસ (૧૯૮૯) કેડરના અધિકારી શ્રીમતી અનુરાધા મલ્લનો જન્‍મ તા. ૩૦ નવેમ્‍બર ૧૯૬૦ના દિવસે થયેલ આજે ૬૩ માં વર્ષમાં પ્રવેશ સાથે સેવા નિવૃત થઇ રહ્યા છે. તેણી મુળ આણંદ પંથકના સોજીત્રાના વતની છે. અગાઉ મહિલા આર્થીક વિકાસ નિગમના એમ.ડી. ખાતાકીય તપાસ અધિકારી ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરીટીના સી.ઇ.ઓ. વગેરે સ્‍થાનો પર રહી ચુકયા છે. હાલ નિવૃતીમાં તેઓ સમાજ ઉપયોગી વિવિધ પ્રવૃતિઓમાં પ્રવૃત છે. મો. ૯૯૭૮૪ ૦પ૩૬૭ અમદાવાદ.

(1:41 pm IST)