Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

જીવનના વધુ એક નૂતન વર્ષમાં પ્રવેશતા કિરીટ અધ્‍વર્યુ

ગુજરાતના માહિતી અધિકાર કમિશનરનો જન્‍મદિન

રાજકોટઃ ગુજરાતના માહિતી અધિકાર (આર.ટી.ઇ.)કમિશનર તરીકે કાર્યરત શ્રી કિરીટ એમ.અધ્‍વર્યુનો જન્‍મ તા. ૨૯/૧૧/૧૯૫૮ના દિવસે થયેલ. આજે ૬૫માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. ભૂતકાળમાં સચિવાલય કેડરના અધિકારી તરીકે નાણા, સામાન્‍ય વહીવટ વિભાગમાં તેમજ યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ તરીકે સેવા આપી હતી. અધિક સચિવપદેથી નિવૃત થયા બાદ હાલ માહિતી આયોગમાં સેવા આપી રહ્યા છે. આજે જીવનના વધુ એક નૂતન વર્ષની શુભેચ્‍છાથી ભીંજાઇ રહ્યા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૭૩૧૪ મો. ૯૮૯૮૯ ૯૪૫૯૮ ગાંધીનગર

 

(12:00 pm IST)