Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

કોંગ્રેસના મહામંત્રી યુવરાજસિંહ ઝાલાનો જન્મદિવસ

રાજકોટઃ શહેર કોંગ્રેસના વોર્ડ નં. ૧૨ના મહામંત્રી યુવરાજસિંહ ઝાલાનો આજે જન્મ દિવસ છે. તેઓએ આજે પોતાના જીવનના ૨૭ વર્ષ પૂર્ણ કરી ૨૮માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા અને પ્રજાકીય પ્રશ્નોને વાચા આપવા માટે એક જવાબદાર અને ફરજનિષ્ઠ કોંગ્રેસી કાર્યકર તરીકે તેઓ સેવા આપી રહ્યા છે. ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલ છે. છેલ્લા ૧૧ વર્ષથી જન્માષ્ટમી નવરાત્રી, હુતાસણી પર્વ વગેરે આયોજન કરી રહ્યા છે. બજરંગ ગ્રુપના પ્રમુખ છે તેમજ શ્રી બજરંગ ગરબી મંડળમાં સેવા આપે છે. આજે તેમના ૨૮માં જન્મ દિવસ નિમિતે મિત્રો - શુભેચ્છકો તરફથી તેમને (મો. ૯૯૦૪૬ ૭૪૯૯૯) ઉપર શુભેચ્છાઓનો ધોધ વર્ષી રહ્યો છે.

(4:05 pm IST)