Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

કુમકુમ ગ્રુપના સ્થાપક પ્રમુખ મનોજ પટેલનો જન્મદિવસ

રાજકોટઃ માનવ સેવા એ જ માધવ સેવા સૂત્રને જીભથી અને જીવથી વરેલા સૌરાષ્ટ્રના જાહેર જીવનના યુવા સેવાભાવી અગ્રણી કુમકુમ ગ્રુપના સ્થાપક પ્રમુખ મનોજભાઈ પટેલનો આજે તા.૮મી જાન્યુઆરીના રોજ જન્મદિન છે. તેઓ પ્રખર રાષ્ટ્રીય સ્વયં સેવકસંઘના જાગૃત સ્વયં સેવક વૃજલાલભાઈ પટેલ તેમજ તેમના પ્રેરણાસ્ત્રોત સમા માતુશ્રી શારદાબેનના આર્શિવાદથી મનોજભાઈ દર્દીનારાયણ, દરીદ્રાનારાયણ, વૃક્ષનારાયણ, અબોલજીવો માનવતા અને સમગ્ર કુદરતી સેવામાં પોતાનો તન, મન, ધનથી ઉપયોગી થાય છે. તેઓએ વૃક્ષારોપણ અને રકતદાન ક્ષેત્રે નમુનેદાર કામગીરી કરી છે. સૌરાષ્ટ્રભરમાં તેમણે વૃક્ષારોપણની આગવી કામગીરી નિસ્વાર્થભાવે કરી છે. આર.એસ.એસ.ના 'મે નહિ તુ'ના સેવા સંસ્કારોને ગળથુથીમાં ઉતાર્યા છે. મિલનસાર, સરળ સ્વભાના મનોજભાઈ પટેલના જન્મદિને મુંગા પશુપક્ષીઓને જમાડીને જન્મદિનની ઉજવણી કરીને ખરા અર્થમાં 'માધવ સેવા' સુત્રને ચરિતાર્થ કરશે. તેઓને મિત્રવર્તુળ તરફથી મો.૯૮૨૫૦ ૧૧૮૮૩ ઉપર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

(1:04 pm IST)