Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

જામનગર લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઇ રીબડીયાનો જન્મદિન

જામનગર તા ૩ : લેઉવા પટેલ સમાજના પ્રમુખ અને જય કેબલવાળા મનસુખભાઇ રીબડીયાનો આજે જન્મદિન છે.

વિદ્યાર્થીકાળથી જ વિદ્યાર્થીઓના પ્રશ્નો અંગે જાગૃત રહી અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદનાં પ્રદેશ સહમંત્રી તરીકે જવાબદારી સંભાળેલ, અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદો દ્વારા ૧૯૯૬માં કરવામાં આવેલ કાશ્મીર બચાવો કાર્યક્રમમાં ગુજરાતનું નેતૃત્વ કર્યુ હતું. આ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ભારતીય જનતાપાર્ટી યુવા મોરભામાં બે ટર્મ જીલલા મહામંત્રી તથા બે ટર્મ જીલ્લા પ્રમુખ તરીકે સફળતા પૂર્વક જવાબદારી સંભાળેલ હતી.

આ સાથે રોટરી કલબના ફાઉન્ડર પ્રેસીડન્ટ તરીકે તથા રોટરી ઈન્ટરનેશનલ કલબમાં પણ ઘણા વર્ષો સુધી સક્રિયપણે કાર્ય કર્યુ હતું. કોલેજના અભ્યાસની સાથે જામનગર શહેર જીલ્લામાં દુરદર્શન કેન્દ્ર ન હોવાથી કેબલ નેટવર્ક દ્વારા કેબલ ટીવીનો ૧૯૮૭માં સોૈ પ્રથમ પાયો નાખ્યો હતો અને કેબલ ટીવી મારફત ઇલેકટ્રોનિકસ મીડીયામાં સ્થાનિક સમાચાર ૧૯૯૮ થી શરૂ કરી ગુજરાતભરમાં ઇલેકટ્રોનિકસ મિડીયાના પત્રકાર તરીકે સોૈ પ્રથમ માન્યતા મેળવવાનું બહુમાન પણ મેળવ્યું હતું. શહેરમાં આવેલ કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજનાં સોૈથી નાની વયે પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહયા છે. તેમના મો.નં. ૯૮૨૪૨ ૬૪૪૪૪ ઉપર જન્મદિનની શુભેચ્છા મિત્રો, શુભેચ્છકો દ્વારામળી રહી છે.

(12:49 pm IST)