Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

વોર્ડ નં. ૨ના ભાજપ આગેવાન અને ખજાનચી ગુલાબસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

હનુમાન મઢી-અલ્કાપુરી વિસ્તારના જાગૃત પ્રહરીઃ અલકેશ્વર મહાદેવના પરમ ભકત-સેવક

રાજકોટ તા.૧૦: રૈયા રોડ હનુમાન મઢી પાસે અલ્કાપુરી-૧માં રહેતાં અને વોર્ડ નં. ૨ના ભાજપ આગેવાન તથા આ વોર્ડના ખજાનચી ગુલાબસિંહ મંગળસિંહ જાડેજાનો આજે જન્મદિવસ છે. સફળ જીવનના ૪૭ વર્ષ તેમણે પુર્ણ કર્યા છે. વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા ગુલાબસિંહ જાડેજા આ વિસ્તારના જાગતા પ્રહરી છે. લોકોના કોઇપણ પ્રશ્નોમાં તેઓ સતત આગળ રહે છે. અલકેશ્વર મહાદેવ મંદિરે પણ સેવા આપે છે. તેમને (મો.૯૮૨૫૩ ૮૧૨૮૬) ઉપર સતત અભિનંદન મળી રહ્યા છે.

(1:14 pm IST)