Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

આર.એસ.એસ.ના સનિષ્ઠ સ્વયંસેવક જયેશભાઈ સંઘાણીનો જન્મદિવસ

રાજકોટ : દેશભકિતના રંગે રંગાયેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દક્ષિણનગર અને રણુજાનગરના નગર કાર્યવાહ રહી ચૂકેલા, સંઘના તૃતીય વર્ષ શિક્ષિત વાંચકોનો બહોળો વર્ગ ધરાવનાર મિલનસાર સ્વભાવવાળા જીવદયાપ્રેમી શ્રી જયેશભાઈ સંઘાણીનો આજરોજ જન્મદિવસ છે. હાલ તેઓ વૃંદાવનનગરમાં નગર કાર્યવાહની જવાબદારી વહન કરી રહ્યા છે. તેઓ પત્ર લેખનમાં સદાય જાગૃત છે. વી.વી.પી. એન્જીનિયરીંગ કોલેજ નોલેજ સેન્ટર (ગ્રંથાલય)માં પ્રોફેશ્નલ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે અને પ્રચાર પ્રસારની જવાબદારી વહન કરી રહ્યા છે. સહકાર ભારતીના રાજકોટ શહેરના મહામંત્રીની જવાબદારી નિભાવી રહ્યા છે. રાજકોટ નાગરીક સહકારી બેંક, કાલાવડ રોડ, બ્રાંચમાં છેલ્લા સાત વર્ષથી વિકાસ સમિતિના સહકન્વીનર તરીકે સેવા આપી રહ્યા છે. તેઓએ બાર એસોસીએશનમાં ગ્રંથપાલ તરીકે ૧૬ વર્ષ કામ કરેલ છે. રાષ્ટ્રભકિતને લગતા તેમજ ક્રાંતિકારીઓની પૂણ્યતિથિ યાદ રાખીને તેના જીવનચરિત્ર ઉપર જીવન ઝરમર દૈનિકોમાં આપી વાંચકો સાથે જોડાયેલા રહે છે. જૈન ધર્મના સિદ્ધાંતો સાથે તેમના બંને પુત્રો જયમીન તથા અપૂર્વ એ આ અગાઉ બે વાર ૮ દિવસના ઉપવાસ કર્યા છે. (મો.૯૪૨૮૨ ૦૦૫૨૦)

(4:07 pm IST)