Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

અધિક કલેકટર એસ.કે. રાઠોડનો કાલે જન્મદિન

રાજકોટઃ આદિવાસી એરિયા સબપ્લાન, ગોધરાના પ્રોજેકટ વહીવટદાર તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી એસ.કે.રાઠોડનો જન્મ તા. ૪ ઓગષ્ટ ૧૯૬૩ના દિવસે થયેલ. કાલે ૫૭માં વર્ષમાં પ્રવેશ કર્યા છે. તેઓ અગાઉ કચ્છના ગાંધીધામમાં ચીફ ઓફીસર, અછતના નાયબ કલેકટર, કચ્છમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી, આણંદમાં ચીફ ઓફીસર અને સ્ટેમ્પ ડ્યુટીના નાયબ કલેકટર, મહીસાગરના  લુણાવાડામાં પ્રાંત અધિકારી, મહેસાણામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વગેરે પદ પર ફરજ બજાવી ચૂકયા છે. મૂળ દાહોદ જિલ્લાના વતની છે.  મો. ૯૯૦૪૦ ૭૨૮૪૭ ગોધરા

(11:34 am IST)