Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ઉમિયાધામ સિદસરના એમ.ડી. અધિક કલેકટર જે.કે. પટેલનો જન્મદિન

રાજકોટઃ. શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ, સિદસરના મેનેજીંગ ડીરેકટર અને રાજ્યના અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી જયેશ કે. પટેલનો જન્મ તા. ૧૫ ઓકટોબર, ૧૯૬૪ના દિવસે થયેલ. આજે છપ્પનમાં વર્ષની કેડીએ કદમ માંડયા છે. તેઓ હાલ રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક તરીકે ફરજ બજાવી રહ્યા છે.

શ્રી જે.કે. પટેલ મૂળ જામનગરના વતની છે. ભૂતકાળમાં ચોટીલા અને રાજકોટ ગ્રામ્યમાં પ્રાંત અધિકારી, અમદાવાદમાં અધિક નિવાસી નાયબ કલેકટર, તત્કાલીન કૃષિ પ્રધાન ચીમનભાઈ સાપરિયાના અંગત સચિવ, ભાવનગર શહેરી વિકાસ સત્તા મંડળના મુખ્ય કારોબારી અધિકારી વગેરે સ્થાનો પર કામગીરી કરી ચૂકયા છે.મો. ૯૪૨૬૪ ૩૨૦૫૧ - રાજકોટ

(10:18 am IST)