Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

વકીલો માટે ૧૦૮ની જેમ કામ કરતાં રાજકોટ બાર એસો.ના પ્રમુખ બકુલ રાજાણીનો જન્મદિવસ

રાજકોટ તા.૧૪: રાજકોટની અનેક ધાર્મીક, સામાજીક અને સેવાકીય સંસ્થા સાથે સંકળાયેલ રાજકોટ વિધાનસભા ૭૦ના ભારતીય જનતા પક્ષના અગ્રણી તેમજ રાજકોટ બાર એસોશીએશનના પ્રમુખ તથા પ્રખર ધારાશાસ્ત્રી અને નોટરી તેમજ સામાજીક અગ્રણી બકુલ વી.રાજાણીનો આજે જન્મદિવસ છે. વ્યવસાયે ધારાશાસ્ત્રી બકુલભાઇ સૌરાષ્ટ્ર કચ્છ લોયર્સ ફેડરેશનના સ્થાપક પ્રમુખ, રાજકોટ જીલ્લા જેલ સમિતિનાં સદસ્ય, શ્રી રાજાણી, મહાદેવ મિત્ર મંડળ, શ્રી સાંઇબાબા સેવા મંડળ, જય ભવાની ગરબી મંડળ તથા વાણીયાવાડી યુવક મંડળના પ્રમુખ, સૌરાષ્ટ્રની હિન્દુૃ-મુસ્લીમ એકતા સમી સંસ્થા સદભાવના સેવા સમિતિમાં ખજાનચી તરીકેની સેવા આપી રહેલ.

રાજકોટ બાર એસોસીએશનમાં પ્રમુખ તરીકે બકુલ રાજાણીએ તમામ વકિલોના હિતમાં કોઇપણ વકિલની રજુઆત હોય નાયક તરીકે કામ કરતા હોય જેથી કોર્ટમાં બકુલ રાજાણી ૧૦૮ તેમજ નાયક તરીકેની છાપ વકિલોમાં ધરાવતા હોય હંમેશા વકિલોના હિતમાં કાર્ય કરતા હોય જેથી વકિલોમાં બહોળી છાપ ધરાવે છે.

જુનીયર બાર એસોસીએશનના પ્રમુખ તરીકે પાંચ વર્ષ રહી ચુકેલ શ્રી રાજાણીએ સૌરાષ્ટ્ર કચ્છ લોયર્સ ફેડરેશનની રચનાકરી તેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળતા બાદ વકિલોને વિનામૂલ્યે વારંવાર પ્રવાસ તેમજ કોર્ટમાં જુનીયરને માર્ગદર્શન માટેના કાર્યક્રમોનું પણ આયોજન કરેલ હતું.

નાનપણથી જ સેવાને પોતાનો મંત્ર બનાવનાર શ્રી રાજાણી અત્યાર સુધીમાં ૨૧ વખત રકતદાન પણ કરી ચુકેલ છે. રાજાણીએ અભ્યાસકાળ દરમ્યાન પોતાનું પ્રથમ દાન યંગ સ્ટાર કલબ ઓફ રાજકોટને એમ્બ્યુલન્સ લેવામાં ૧૯૮૭માં ૫૦૦૦નું યોગદાન આપેલ અને રાજકોટ એડવોકેટ વેલ્ફેર ફંડમાં રૂ.૧,૧૧,૧૧૧નું અનુદાન કરેલ.

અત્યાર સુધીમાં ૧૬ થી પણ વધુ ગરીબ પરિવારની દિકરીઓને પોતાના ખર્ચે પ્રભુતામાં પગલા મંડાવનાર રાજાણીએ છેલ્લા ૧૯ વર્ષ દરમ્યાન જય ભવાની ગરબી મંડળની બાળાઓને સોનાના ચેઇનથી માંડીને ૧૭૦ લીટરના ફ્રીજ સુધીની લ્હાણી બાળાઓને અર્પણ કરી ચુકેલ છે. ધાર્મીક પ્રસંગોની ઉજવણી, સર્વે પિતૃ મોક્ષાર્થે જ્ઞાન પારાયણ, ધુન,ભજન જેવા અનેક ધાર્મિક આયોજન તેઓની રાહબરી હેઠળ નિયમિત આયોજન કરનાર રાજાણીને તેમના જન્મદિને વિશાળ મિત્ર વતુર્ળ દ્વારા શુભેચ્છા વર્ષા તેઓનો મો.૯૮૨૫૨ ૧૧૩૯૧- ૯૯૯૮૧ ૧૧૩૯૧ ઉપર થઇ રહી છે.

(3:34 pm IST)