Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

સત્સંગી સેવક પત્રકાર મનસુખભાઇ પરમારનો જન્મદિન : ૮૪માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ, તા. ૧૧: સત્સંગી સેવક, પત્રકાર મનસુખભાઇ મગનભાઇ પરમારનો આજે જન્મ દિવસ છે. ૮૪ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભૂપેન્દ્ર રોડ, રાજકોટના મહંત સ્વામી શાસ્ત્રી શ્રી રાધારમણદાસજીના હસ્તે શાલ ઓઢાડી, હાર પહેરાવી, મૂર્તિ અર્પણ કરી 'શતમ જીવ શરદ'ના આશિર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે બાલાજી હનુમાનજી મંદિરના યુવાન કોઠારી સ્વામી મૂનિવત્સલદાસજી સ્વામી તથા પાર્ષદ કાન્તી ભગત (શીધ્ર કવિ), પૂર્વ કોઠારી બાલાજી મહનુમાનજી મંદિર પણ ઉપસ્થિત રહી રૂડા આશિર્વાદ આપ્યા હતાં. દેવ ઉત્સવ મંડળના પ્રમુખ જીતુભાઇ રાધનપુરા, સેવાભાવી મંત્રી ભરતભાઇ અંબાસણા, ગાંધીનગરના જયોતિષી દલસુખભાઇ પરમાર, કેશોદ જ્ઞાતિના આગેવાન રસીકભાઇ પરમાર તથા વાંકાનેર જ્ઞાતિ પ્રમુખ જયંતિભાઇ પરમાર, મા ચામુંડા મોચી જ્ઞાતિ યુવાસેના રાજકોટ શહેરપ્રમુખ દિનેશભાઇ ચાવડા, સેવાભાવિ મંત્રી બીપીનભાઇ જેઠવા તેમજ બજરંગવાડી સર્કલ, સિનિયર સીટીઝન, પેન્શનર સમાજ રાજકોટના સેવાભાવી પ્રમુખ શ્રી વાડોલીયાએ પણ શુભેચ્છા પાઠવી છે. (મો. ૯૪ર૮ર ૪૦૭૯પ)

(11:36 am IST)