Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

બહારો ફુલ બરસાઓ... વિરલ વ્યકિતત્વવાળા ડો.બલદાણીયાનો જન્મદિન

રાજકોટ, તા. ૭ : સૌરાષ્ટ્રની તબીબી આલમમાં ધબકતી - ઝબકતી યશસ્વી કારકિર્દી ધરાવતા ઓમ હોસ્પિટલના એમ.ડી. ડો.વિરલ બલદાણીયાએ આજે ૩૫ વર્ષ પૂર્ણ કરી ૩૬માં વર્ષમાં પ્રગતિશીલ જીવનમાં પ્રવેશ કર્યો છે. રાજકોટ - સૌરાષ્ટ્રમાં નાની વયે તબીબી ક્ષેત્રે અપૂર્વ સિદ્ધિના સોપાન સર કરનાર જાણીતા એમ.ડી. અને ઓમ હોસ્પિટલના ડો.વિરલ બલદાણીયા દર્દીઓના દર્દ પારખવામાં ખૂબ નિપુણ છે. ડો.વિરલ બલદાણીયાએ તેનું પાયાનું શિક્ષણ જૂનાગઢમાં લીધુ હતું. બાદમાં એમ.બી.બી.એસ. અને એમ.ડી.નો તબીબી અભ્યાસ અમદાવાદની બી.જે. મેડીકલ કોલેજમાં પૂર્ણ કર્યો છે.

ડો.વિરલ કનુભાઈ બલદાણીયાએ પ્રથમ જયનાથ હોસ્પિટલમાં ૬ વર્ષ સુધી ફરજ બજાવી હવે ગાયત્રીનગર રોડ પર પોતાની ઓમ હોસ્પિટલ ખાતે ફરજ બજાવે છે. હસમુખો ચહેરો અને તમામને ઉપયોગી થવાની ઉમદા ભાવના દ્વારા વિશાળ મિત્રવર્તુળ ધરાવે છે. આજે ડો.વિરલ બલદાણીયાના જન્મદિને મો.૯૯૨૫૦ ૪૨૪૩૯ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(1:05 pm IST)