Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

એડવોકેટ નોટરી નીરનભાઇ આહ્યાનો આજે જન્મદિવસ

રાજકોટ તા.૧૪ : એડવોકેટ નોટરી ભરતકુમાર આહ્યાનો આજરોજ જન્મદિવસ છે. તા.૧૪-૬-૧૯૫૭ના રોજ જન્મેલા આહ્યા આજરોજ યશસ્વી જીવનના ૬૨ વર્ષ પુર્ણ કરી ૬૩માં વર્ષમાં પ્રવેશ કરે છે. તેઓએ ૧૯૮૮ થી રેવન્યુ લાઇનમાં પ્રેકટીશ શરૂ કરેલ ત્યારબાદ ૧૯૯૬માં એડવોકેટની સનદ મેળવીને રેવન્યુ સિવિલ તેમજ ફોજદારી પ્રેકટીસ ચાલુ કરી હતી. ૨૦૦૭ થી ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયાના નોટરી તરીકે નિમણુંક થઇ. રાજકોટ નોટરી એશોસિએશનના પૂર્વ પ્રમુખ તરીકે રહી ચુકેલ છે. શ્રી રઘુવીર કો.ઓ. ક્રેડીટ સોસાયટી લી.ના લીગલ એડવાઇઝર શ્રી જયોત એજયુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના લીગલ એડવાઇઝર તરીકે સોમનાથ કોમર્શીયલ  કોમ્પલેક્ષમાં પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓને  જન્મદિન તેમના મિત્રો શુભેચ્છકો સગા સંબંધીઓ તરફથી તેમના મો. ૯૯૨૪૧ ૦૫૯૫૯ તેમજ ઓફીસ નં. ૨૨૩૧૫૬૩ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(11:42 am IST)